સોલાર કંપનીનું દુષિત પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોની હાલત કફોડી બની
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગાંજીસર, લોદ્રા તેમજ આજુબાજુ ગામના ખેડૂતોની ખેતી લાઈક જમીન પર દૈસર ગામમાં આવેલ સોલાર કંપનીનું દુષિત પાણી ખેતરો માં ફરીવળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. દૈસર સોલાર કંપની દ્વારા છેલ્લા ચાર પાંચ વર્ષ થી દુષિત પાણી ખેડૂતો ના ખેતરો છોડવામાં આવી રહ્યું છે જેના કારણે વાવેતર લાયક જમીન નો સંપૂર્ણ પણે નાશ થઈ રહ્યો છે.અનેક રજૂઆત બાદ કોઈ ચોક્કસ પરિણામ મળ્યું ન હોય ખેડૂતો પરેશાન બન્યા છે અને દૈસર સોલાર કંપની સામે કાયદાકીય એક્સન લેવા ખેડૂતોની પ્રબળ માંગ ઉઠવા પામી છે.
દૈસર સોલાર કંપની સામે કાયદાકીય કડક વલણ દર્શાવે અને ખેડુતોને ન્યાય અપાવે તેવી ખેડૂતોની માંગ ઉઠી :-
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લોદરા ગામના સરપંચ પ્રદીપ કુમાર ઠાકોર, તેમજ ખેડૂત સેમાભાઈ ચૌધરી અને અન્ય ખેડુતો ના જણાવ્યા પ્રમાણે આશરે 250 વીઘા જેટલી જમીન મા નુકશાની થઈ રહી હોય ખેડૂતવર્ગ ચિંતિત છે.તેમજ આશરે 5 વર્ષથી ખેડૂતો પરેશાની ભોગવી રહ્યા છે અનેક રજૂઆત બાદ કોઈ નિરાકરણ આવ્યું નથી અને જમીન દિવસે ને દિવસે ખરાબ બની રહી છે .ત્યારે ખેડૂતો ની હાલ એકજ માંગ ઉઠવા પામી છે કે દૈસર સોલાર કંપની સામે કાયદાકીય કડક વલણ દર્શાવે અને ખેડુતોને ન્યાય અપાવે તેવી માંગ ઉઠી છે.
- પાટણ શહેરની પ્રાર્થના વિહાર સોસાયટીમાં રહીશોના વિરોધ વચ્ચે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શહેર કોંગ્રેસ સમિતિએ અટકાવી..
- Income Tax Recruitment 2025 । Income Tax વિભાગમાં લેખિત પરીક્ષા વગર નોકરીની તક
- બનાસકાંઠા જિલ્લાની કુલ 10 પેઢીઓના વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ જતા કોર્ટ દ્વારા કુલ રૂ.26 લાખનો દંડ
- રાધનપુરને જિલ્લો જાહેર ન કરાતા કોંગ્રેસ સમિતિ દ્વારા પોસ્ટર વોર શરૂ કરાતાં રાજકીય ગરમાવો છવાયો