આગામી તા. ૨૭ ડિસેમ્બરે ઔધોગીક તાલીમ સંસ્થા શંખેશ્વર ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે
પાટણ જિલ્લાના રોજગાર વાંચ્છુ ઉમેદવારોને રોજગારી મળે તે માટે ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ દ્વારા રોજગાર ભરતી મેળાના માધ્યમથી ભરતી કરવા માટે રોજગાર ભરતી મેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી પાટણ દ્વારા કરવામાં આવેલ છે.
જે અંતર્ગત આગામી તા. ૨૭/૧૨/૨૦૨૪ શુક્રવારને સમય:- સવારે ૧૧-૦૦ કલાકે મહિલા ઔધોગીક તાલીમ સંસ્થા આઇ.ટી.આઇ) શંખેશ્વર તા.શંખેશ્વર જિ.પાટણ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે. જેમાં ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ, આઇ.ટી.આઇ., ગ્રેજ્યુએશન, લાયકાત ધરાવતા રોજગાર વાંચ્છું ઉમેદવારો ભરતી મેળામાં ઉપસ્થિત રહી શકશે. વય મર્યાદા ૧૮ થી ૩૦ ની રહેશે. આ રોજગાર ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ પાવર ડ્રાઇવ બેરીંગ્સ પ્રા.લી. સાણંદ, લેબરનેટ સર્વિસ ઇન્ડીયા પ્રા.લી.અમદાવાદ, એ.ડી.એસ. ફાઉન્ડેશન અમદાવાદ હાજર રહી ખાલી પડેલી ફીટર, ઓપરેટર, મશીન ઓપરેટર, ટ્રેઇની, ટેલીકોલર, કાઉન્સેલર જગ્યાઓ માટે સ્થળ પર પ્રાથમિક પસંદગી કરનાર છે.
આ રોજગાર ભરતી મેળામાં લાયકાત ધરાવતા ઉમેદવારોએ સ્વખર્ચે ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત રહેવાનું રહેશે. તમામ નકલ પ્રમાણપત્રો સાથે બે ફોટોગ્રાફ તેમજ ૩ થી ૪ નકલ બાયોડેટા સાથે ઇન્ટરવ્યુમાં હાજર રહેવા જણાવવામાં આવે છે. આ રોજગાર ભરતી મેળામાં રોજગાર કચેરી ખાતે નામ નોંધણી કરાવેલ ન હોય તેવા ઉમેદવારો પણ ભાગ લઇ શકશે એવું રોજગાર અધિકારી પાટણની અખબારી યાદીમાં જણાવ્યું છે.
- પાટણ શહેરની પ્રાર્થના વિહાર સોસાયટીમાં રહીશોના વિરોધ વચ્ચે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શહેર કોંગ્રેસ સમિતિએ અટકાવી..
- Income Tax Recruitment 2025 । Income Tax વિભાગમાં લેખિત પરીક્ષા વગર નોકરીની તક
- બનાસકાંઠા જિલ્લાની કુલ 10 પેઢીઓના વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ જતા કોર્ટ દ્વારા કુલ રૂ.26 લાખનો દંડ
- રાધનપુરને જિલ્લો જાહેર ન કરાતા કોંગ્રેસ સમિતિ દ્વારા પોસ્ટર વોર શરૂ કરાતાં રાજકીય ગરમાવો છવાયો