ચણાના પાકમાં થતા સુકારાના રોગ સામે ખેડૂતોએ આ પગલા લેવા
ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત પાટણ દ્વારા પ્રસિધ્ધ અખબારીયાદીમાં તાજેતરમાં વાવેતરમાં થઈ રહેલા ચણાના પાકમાં સુકારાના રોગ સામે યોગ્ય પગલાં લઈ પાકમાં આવતા સુકારા જેવા રોગ સામે કયા પ્રકારના પગલાં લઈ પાકનું જતન અને સંરક્ષણ કરી શકાય તેમજ કયા પ્રકારના બીજની વાવણી કરવી અથવા દવાઓનો છંટકાવ કરી સુકારા જેવા રોગ સામે પાકનું જતન કરી શકાય તે માટે જિલ્લા ખેતીવાડી અધિકારી પાટણ દ્વારા ખેડૂતોને નીચે મુજબના યોગ્ય પગલાં લેવા જાણ કરવામાં આવી છે.
ચણાના પાકમાં વાવેતર માટે સુકારા પ્રતિકારક જાત (ગુ.ચ.૧ , ગુ.ચ.૫, ગુજરાત જુનાગઢ ચણા-૬) ની પસંદગી કરવી.
બીજને થાયરમ ૩ ગ્રામ/કેપ્ટાન ૩ ગ્રામ/કાર્બેંન્ડાઝીમ ૫૦ વેટેબલ પાવડર ૨ ગ્રામ/ટ્રાયકોડર્મા જૈવીક નિયંત્રક ૧૦ થી ૨૦ ગ્રામ/કી/ગ્રા બીજ દીઠ પટ આપીને વાવણી કરવી.
વાવણી વખતે દિવેલી ખોળ હેક્ટર દીઠ ૧ ટન તેમજ ચણા પછી બાજરી કે જુવારની ફેરબદલી કરવાથી સુકારાની જીવાતનું પ્રમાણ ઘટાડી શકાય છે.
સારી ગુણવત્તા ૫ કિ.ગ્રા ટ્રાયકોડર્મા પાઉડરને ૫૦૦ કિગ્રા પ્રતિ હેકટરે છાણિયું ખાતર/વર્મીકંપોસ્ટ/ડિઓઇલ્ડ દિવેલી ખોળ/રાયડાના ખોળ/લીંબોળીના ખોળ સાથે ભેળવી ચાસમાં આપવું.
- પાટણના ઉદ્યોગ સાહસિકનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાયું સન્માન
- દિયોદર માં ૧૦૮ની ટીમે સેવાની સાથે પ્રમાંણિકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું
- PM Kisan Samman Nidhi : ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ ઘરે બેઠાં મળશે
- હારીજ તાલુકાના થરોડ ગામે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને યોજનાકીય માહિતી અપાઈ