રાધનપુરને જિલ્લો જાહેર ન કરાતા કોંગ્રેસ સમિતિ દ્વારા પોસ્ટર વોર શરૂ કરાતાં રાજકીય ગરમાવો છવાયો
રાધનપુર ને અલગ જિલ્લાનું સ્થાન ના મળતા રાજકીય ગરમાવા વચ્ચે રાધનપુર વાસીઓમાં વિરોધના શૂર ઉઠવાની સાથે પોસ્ટર વોર શરૂ થવા પામ્યો છે. મંગળવારે રાધનપુરમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ પદે આયોજિત કાર્યક્રમ પૂર્વે રાધનપુર ને જિલ્લા નો દરજજો મળે તે માટે ના પોસ્ટર કોગ્રેસ દ્રારા લગાવતાં રાધનપુર નું રાજકારણ આવી ફુલ ગુલાબી ઠંડીમાં ગરમાયું છે.

કોંગ્રેસે રાધનપુરને જિલ્લો ના બનાવીને ભાજપે અન્યાય કર્યાના ઠેર ઠેર પોસ્ટર લગાવી રાધનપુર ને જિલ્લો જાહેર કરવાની માગ સાથે સાંતલપુર, રાધનપુર તેમજ સમી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાધનપુર ની અનેક જગ્યાઓએ આવા પોસ્ટર લગાવી મંગળવારે રાધનપુર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને આયોજિત કાર્યક્રમ પહેલા રાધનપુર નું સ્થાનિક રાજકારણ ગરમાવ્યુ છે.

અહેવાલ : યશપાલ સ્વામી
- Patan : જેટકોના નાયબ ઇજનેરે કર્મચારીની પત્ની સાથે ત્રણ વાર દુષ્કર્મ આચર્યું
- પાટણના ઉદ્યોગ સાહસિકનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાયું સન્માન
- દિયોદર માં ૧૦૮ની ટીમે સેવાની સાથે પ્રમાંણિકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું
- PM Kisan Samman Nidhi : ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ ઘરે બેઠાં મળશે