Gujarat

શંખેશ્વરના પંચાસર હાઈવે પર અકસ્માત સર્જાયો, બાઈકસવારને અડફેટે લેતા મોત

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં હાઇવે માર્ગો પર રખડતા અબોલ જીવોનો ત્રાસ અસહ્ય બન્યો છે. ત્યારે આવા અબોલ જીવો દ્વારા અનેક નાના મોટા માર્ગ અકસ્માતના બનાવો પણ સર્જાતા હોય જેમાં અનેક નિર્દોષ માનવ જિંદગી મોતના મુખમાં ધકેલાતી હોવાના કિસ્સા પણ બનતા હોય છે. ત્યારે આવો જ એક માર્ગ અકસ્માતનો કિસ્સો સર્જાતા એક નિર્દોષ માનવ જિંદગી મોતના મુખમાં ધકેલાઈ હોવાનું જાણવા મળ્યું છે.

આ અકસ્માતની મળતી હકીકત મુજબ શંખેશ્વરના પંચાસર હાઈવે પર બસ સ્ટેશન પાસે ખેડૂત અજીતભાઈ રાજુભાઈ ગોહીલ ઉંમર વર્ષ 26 પોતાનુ બાઈક લઈને ખેતરેથી પરત પોતાના ઘર તરફ ફરી રહ્યા હતા. ત્યારે પંચાસર બસ સ્ટેશન પાસેના માગૅ પર અચાનક અબોલ જીવ વચ્ચે આવતાં બાઈક ચાલક અજીતભાઈ બાઈક સાથે માગૅ પર પટકાતાં તેઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક શંખેશ્વર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાતાં ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યાં હતા.

આ અકસ્માતના સમાચાર પંચાસર ગામે મૃતકના પરિવારજનો સહિત ગ્રામજનોને મળતાં ગામમાં શોકની કાલિમા છવાઈ જવા પામી હતી. તો આ અકસ્માતના પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

स्वीमिंग पूल में बिकिनी पहन Mouni Roy ने लगाई आग कैसे और कहा चेक करे DOMS IPO Allotment Status ? 8999 में आया POCO का नया स्मार्टफोन! Poco C65 Launch Review सालार’ के लिए प्रभास ने ली इतनी फीस की आप भी हैरान हो जाएंगे ! Prabhas Salaar Fees MS Dhoni No. 7 jersey retired : महेंद्र सिंह धोनी की 7 नंबर की जर्सी रिटायर