પાટણ : બાઇક ચાલકે મહિલાને અડફેટે લેતાં મોત
પાટણ શહેરમાં શાંતિનાથ સોસાયટીના નાકા પાસે મહિલાને બાઇક ચાલકે અડફેટે લેતાં મહિલા રોડ પર પટકાતાં તેને ગંભીર ઇજાઓ થતાં સારવાર મોત થયું હતું.
પાટણ શહેરમાં સુરમ્ય રેસીડેન્સી ખાતે રહેતા 33 વર્ષીય રંજનબેન રઘુવીરજી ઠાકોર શાંતિનાથ સોસાયટીના નાકે રોડ પર ચાલતા જતા હતા તે વખતે એક બાઈક ચાલકે તેમને ટક્કર મારતાં તેઓ રોડ પર પટકાતાં તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી તેમને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ અંગે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે બાઈક ચાલક સામે રઘુવીરજી મગનજી ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી.
- પાટણ શહેરની પ્રાર્થના વિહાર સોસાયટીમાં રહીશોના વિરોધ વચ્ચે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શહેર કોંગ્રેસ સમિતિએ અટકાવી..
- Income Tax Recruitment 2025 । Income Tax વિભાગમાં લેખિત પરીક્ષા વગર નોકરીની તક
- બનાસકાંઠા જિલ્લાની કુલ 10 પેઢીઓના વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ જતા કોર્ટ દ્વારા કુલ રૂ.26 લાખનો દંડ
- રાધનપુરને જિલ્લો જાહેર ન કરાતા કોંગ્રેસ સમિતિ દ્વારા પોસ્ટર વોર શરૂ કરાતાં રાજકીય ગરમાવો છવાયો