પાટણ : બાઇક ચાલકે મહિલાને અડફેટે લેતાં મોત
પાટણ શહેરમાં શાંતિનાથ સોસાયટીના નાકા પાસે મહિલાને બાઇક ચાલકે અડફેટે લેતાં મહિલા રોડ પર પટકાતાં તેને ગંભીર ઇજાઓ થતાં સારવાર મોત થયું હતું.
પાટણ શહેરમાં સુરમ્ય રેસીડેન્સી ખાતે રહેતા 33 વર્ષીય રંજનબેન રઘુવીરજી ઠાકોર શાંતિનાથ સોસાયટીના નાકે રોડ પર ચાલતા જતા હતા તે વખતે એક બાઈક ચાલકે તેમને ટક્કર મારતાં તેઓ રોડ પર પટકાતાં તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી તેમને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ અંગે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે બાઈક ચાલક સામે રઘુવીરજી મગનજી ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી.
- પાટણના ઉદ્યોગ સાહસિકનું મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાયું સન્માન
- દિયોદર માં ૧૦૮ની ટીમે સેવાની સાથે પ્રમાંણિકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું
- PM Kisan Samman Nidhi : ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ ઘરે બેઠાં મળશે
- હારીજ તાલુકાના થરોડ ગામે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને યોજનાકીય માહિતી અપાઈ