રાધનપુરના પ્રેમનગર પાસે ગળેફાંસો ખાઘેલી હાલતમાં આધેડની લાશ મળતા ચકચાર, પોલીસે મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામના પાટીયા પાસે રવિવારે સાંજે ગંગોત્રી પેટ્રોલ પંપની સામેના ભાગે બાવળની ઝાડીમાં કોઈ વ્યક્તિની લાશ લટકતી હોવાની જાણ પોલીસને થતાં પોલીસે ધટના સ્થળે દોડી આવી લાશને ઉતારી પીએમ ખાતે મોકલી આપી તેના વાલી વારસોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી હકીકત મુજબ રવિવારે સાંજના સમયે રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામના પાટીયા પાસે ગંગોત્રી પેટ્રોલ પંપ સામે બાવળોની જાડીમાં કોઈ અજાણ્યા પુરુષની લટકતી લાશ મળી આવી હોવાનું માલુમ પડતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.આ બનાવની જાણ પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી લાશને નીચે ઉતારી એનું પંચનામુ કરી પીએમ અર્થ રાધનપુર હોસ્પિટલ ખાતે મોકલી આપી તપાસ હાથ ધરી હતી.
મૃતક ઈસમની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હોવાની બાબતને લઈને રાધનપુર પોલીસે આ મામલે તપાસના ચક્રો ગતિમાન બનાવતા મૃતક ઈસમ દેવાભાઈ રામચંદભાઈ ઠાકોર રહે ધાડવડા તાલુકો દિયોદર,જીલ્લો બનાસકાંઠા વાળાની હોવાનું જાણવા મળતા પોલીસે તેના પરિવારજનોને બનાવની સઘળી હકીકત આપતા પરિવારજનો પણ સ્થળ પર આવી પહોંચતા મૃતક ઈસમની લાશ નુ પીએમ કયૉ બાદ લાશ વાલી વારસો ને સોંપી પોલીસે આગળની કાર્યવાહી સાથે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
- सिद्धपुर हाईवे पर सरस्वती नदी पुल के पास रिक्शा-ट्रक की टक्कर में दंपती घायल
- पाटन नगर निगम ने यस प्लाजा-माधव ट्विन्स कॉम्प्लेक्स की 50 दुकानें सील कर दीं
- Gujarat Police Recruitment 2024 : गुजरात पुलिस में 9182 पदों पर निकली भर्ती
- Google Pay Se Paisa Kamaye : घर बैठे अपने मोबाइल पर Google Pay से प्रतिदिन 1000 रुपये कमाएं